Baba Bageshwar in Rajkot: બાગેશ્વર ધામ સરકારના નામથી પ્રખ્યાત અને એવા સૌ કોઈના ઓળખીતા ધીરેન્દ્ર ક્રુષ્ણ શાસ્ત્રીજી આપણાં ગુજરાતના રાજકોટમાં આવી રહ્યા છે. બાગેશ્વર ધામ ના પિઠાધિપતિ ધીરેન્દ્ર ક્રુષ્ણ શાસ્ત્રીજી રાજકોટ ખાતે આવેલા રેસકોર્સના ગ્રાઉન્ડમાં બે દિવસ સુધી દિવ્ય દરબાર યોજાવવા જઇ રહ્યો છે. આ દિવ્ય દરબાર માટેની લોકલ કમિટી પણ બનાવવા માં આવી છે. ચાલો જાણીએ આ માટે વિગતે.
ક્યારે યોજાશે દિવ્ય દરબાર
ધીરેન્દ્ર ક્રુષ્ણ શાસ્ત્રીજી રાજકોટમાં પધારી રહ્યા છે ત્યારે આ આયોજન સમિતિના સદસ્ય યોગીનભાઈ છનિયારા એ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, રાજકોટની પવિત્ર ધરતી ઉપર રેસકોર્સ ગ્રાઉન્ડમાં આવતી 1 જૂન અને 2 જૂનના રોજ વિશ્વ પ્રસિદ્ધ બાગેશ્વરધામ બાલાજી હનુમાનના આસ્થાના કેન્દ્ર અને બાગેશ્વરધામ મધ્યપ્રદેશના પિઠાધિપતિ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી Baba Bageshwar in Rajkotમાં પધારી રહ્યા છે.
આ પણ વાંચો: Jio Recharge Plan: જીઓનો સસ્તો ફેમેલી પ્લાન,399 ના રીચાર્જમાં 4 ફેમેલી મેમ્બર માટે free કોલિંગ.
રાજકોટમાં જનમેદની ઉમટે તેવી સંભાવના
આ જાહેર કરતાંએ જણાવ્યું છે કે, Baba Bageshwar in Rajkot પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી હાલમાં તેમની આધ્યાત્મિક આભાથી લોકોના જીવનની ગંભીર સમસ્યાનું સમાધાન કરવા માટે ખૂબ જ દેશ વિદેશમાં લોકપ્રિય થયા છે, સાથે સાથે તેઓ સનાતન ધર્મની પુન:સ્થાપના અને હિન્દુ રાષ્ટ્ર્ર વિશે પણ ખુલીને પોતાની મનની વાત ખૂબ જ સ્પષ્ટ્તા થી કરી રહ્યા છે. જેના કારણે તેઓ આજની યુવા પેઢીમા પણ ખૂબ લોકપ્રિય થયા છે. જ્યાં પણ તેમના દિવ્ય લોક દરબારો લાગે છે ત્યા લાખોની સંખ્યામાં ભક્તો આવી પડે છે. ત્યારે રાજકોટના આંગણે પણ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી પ્રેમી જનતા ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડશે તેવી ધારણા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Mudra Loan: ધંધો વ્યવસાય શરૂ કરવા મળશે રૂ. 50 હજારથી 10 લાખ સુધીની Loan, જાણો સંપૂર્ણ પ્રક્રિયા.
બાગેશ્વરધામ સેવા સમિતિની તડામાર તૈયારી
બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને લઈને બાગેશ્વરધામ સેવા સમિતિ દ્વારા રાજકોટ ખાતે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ માટે લોકલ કમિટીની પણ રચના કરવામાં આવી છે. આગામી 1 અને 2 જૂન ના રોજ યોજાશે આ દિવ્ય દરબાર.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |

ધીરેન્દ્ર ક્રુષ્ણ શાસ્ત્રીજી રાજકોટ ખાતે આવેલા રેસકોર્સના ગ્રાઉન્ડમાં કેટલા દિવસ દિવ્ય દરબાર યોજાશે?
2 દિવસ
ક્યારે યોજાશે આ દિવ્ય દરબાર?
1 અને 2 જૂન
બાગેશ્વરધામ ક્યાં આવેલું છે?
મધ્યપ્રદેશ