જ્ઞાન સાધના સ્કોલરશીપ: Gyan Sadhna Scholarship Yojana: ગુજરાત સરકાર દ્વારા સારી આર્થીક સ્થિતી ન ધરાવતા અને હોંશીયાર વિદ્યાર્થીઓને અભ્યાસ મા સહાય માટે RTE ADMISSION જેવી યોજનાઓ દ્વારા સહાય આપવામા આવે છે. આવી જ એક નવી યોજના સરકાર દ્વારા જાહેર કરવામા આવી છે જેનુ નામ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના છે. આ યોજનામા વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધી દર વર્ષે સહાય સ્કોલરશીપ આપવામા આવે છે. આ યોજનાની સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે. જેથી આ પોસ્ટ પુરી વાંચવા વિનંતી.
જ્ઞાન સાધના સ્કોલરશીપ માહિતી
યોજના | જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના |
અમલીકરણ વિભાગ | શિક્ષણ વિભાગ |
લાભાર્થી | ધોરણ 8 પાસ વિદ્યાર્થીઓ |
સ્કોલરશીપ | ધોરણ 9 થી 10 મા વાર્ષિક રૂ.20000 ધોરણ 11 થી 12 મા વાર્ષિક રૂ.25000 |
ફોર્મ ભરવાની તારીખો | 11-5-2023 થી 26-5-2023 |
પરીક્ષા તારીખ | 11-6-2023 |
ઓફીસીયલ વેબસાઇટ | www.sebexam.org |
પસંદગી | પરીક્ષા દ્વારા |
આ પણ વાંચો: વિદેશ અભ્યાસ લોન યોજના
જ્ઞાન સાધના સ્કોલરશીપ પાત્રતા
આ સ્કોલરશીપ યોજના મા સ્કોલરશીપ માટે વિદ્યાર્થીઓની પરીક્ષા દ્વારા પસંદગી કરવામા આવશે. જેના માટે નીચેની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે.
- સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામા ધોરણ 1 થી 8 સળંગ અભ્યાસ કરી ધોરણ 8 ઉતિર્ણ કરેલ હોય.
- અથવા RTE ADMISSION યોજના હેઠળ સ્વનિર્ભર શાળામા ધોરણ 1 મા પ્રવેશ મેળવી ધોરણ 8 સુધી અભ્યાસ કરેલ હોય.
પરીક્ષા ફી
આ સ્કોલર્શીપ યોજના માટે પરીક્ષા માટે ફોર્મ ભરવા માટે કોઇ પણ પ્રકારની પરીક્ષા ફી રાખવામા આવેલ નથી.
કસોટીનુ માળખુ
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના મા વિદ્યાર્થીઓની પસંદગી પરીક્ષા દ્વારા કરવામા આવશે. જેમા કસોટીનુ માળખુ નીચે મુજબ હશે.
- આ કસોટીનુ પ્રશ્ન પત્ર 120 ગુણનુ રહેશે તથા સમય 150 મિનિટ રહેશે.
- કસોટી નુ પ્રશ્ન પેપર ગુજરાતી/અંગ્રેજી ભાષામા રહેશે.
- વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી જે માધ્યમ પસંદ કરે તે માધ્યમ મા પરીક્ષા આપી શકશે.
કસોટી | પ્રશ્નો | ગુણ |
MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી | 40 | 40 |
SAT બૌધ્ધિક યોગ્યતા કસોટી | 80 | 80 |
આ પણ વાંચો: મફત પ્લોટ યોજના ફોર્મ ડાઉનલોડ
સ્કોલરશીપ ની રકમ
આ યોજનામા વિદ્યાર્થીને નીચે મુજબ સ્કોલરશીપ મળવાપાત્ર છે.
- ધોરણ 9 અને 10 મા વાર્ષિક રૂ. 20000 સ્કોલરશીપ મળવાપાત્ર છે.
- ધોરણ 11 અને 12 મા વાર્ષિક રૂ. 25000 સ્કોલરશીપ મળવાપાત્ર છે.
આવક મર્યાદા
આ સ્કોલરશીપ યોજના માટે નીચે મુજબ આવક મર્યાદા નિયત કરવામા આવેલ છે.
- ગ્રામ્ય વિસ્તાર માટે આવક મર્યાદા વાર્ષિક રૂ. 120000
- શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા વાર્ષિક રૂ. 150000
જ્ઞાન સાધના સ્કોલરશીપ પસંદગી પ્રક્રિયા
આ સ્કોલરશીપ યોજના માટે વિદ્યાર્થીઓની પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.
- સૌ પ્રથમ વિદ્યાર્થીએ આ સ્કોલરશીપ પરીક્ષા માટે ફોર્મ ભરવાનુ રહેશે.
- ત્યારબાદ કસોટી દ્વારા કટ મેરીટ ના આધારે પ્રોવિઝનલ સીલેકશન લીસ્ટ જાહેર કરવામા આવશે.
- ત્યારબાદ જિલ્લા કક્ષાએ ડોકયુમેન્ટ ચકાસણી કરવામા આવે છે.
- ત્યારબાદ ફાઇનલ મેરીટ લીસ્ટ અને સીલેકશન લીસ્ટ બહાર પાડવામા આવે છે.
ઓનલાઇન અરજી પ્રોસેસ
જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચે મુજબની પ્રક્રિયા કરવાની રહેશે.
- સૌ પ્રથમ રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ https://www.sebexam.org/ પર જવાનુ રહેશે.
- તેમા Apply Online પર ક્લીક કરો.
- તેમા જ્ઞાન સાધના પ્રખરતા કસોટી પસંદ કરો.
- ત્યારબાદ ઓપન થયેલા ફોર્મ મા વિદ્યાર્થીનો Adhar UDI નંબર નાખતા વિદ્યાર્થીની જરૂરી માહિતી આવી જશે.
- ત્યારબાદ માંગવામા આવેલી અન્ય માહિતી સબમીટ કરો અને વિદ્યાર્થીનો ફોટો અને સહિ અપલોડ કરો.
- છેલ્લે તમારુ ફોર્મ ચકાસી કંફર્મ આપો.
- આ ફોર્મ ની પ્રિંટ કાઢી લો.
અગત્યની લીંક
જ્ઞાન સાધના પ્રખરતા કસોટી નોટીફીકેશન | અહિં ક્લીક કરો |
ઓનલાઇન ફોર્મ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |

જ્ઞાન સાધના પ્રખરતા કસોટી માટે ઓનલાઇન ફોર્મ ભરવાની વેબસાઇટ શું છે ?
https://sebexam.org/
જ્ઞાન સાધના પ્રખરતા કસોટી ના ફોર્મ ભરવાની તારીખ શું છે ?
11-5-2023 થી
26-5-2023
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના માટે આવક મર્યાદા શું છે ?
ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક રૂ. 120000
શહેરી વિસ્તાર માટે વાર્ષિક રૂ. 150000
.