Jagnnath Rathyatra: શું તમે જાણો છો?જગન્નાથ રથયાત્રાની શરૂઆત કયારે થઈ?: દર વર્ષે અષાઢ મહિનાની 2 (બીજ) ના દિવસે ઓડિશાના પૂરી જિલ્લામાં આ Jagnnath Rathyatra (જગન્નાથ રથયાત્રા) નીકળે છે. ત્યારે ચાલુ વર્ષે પણ આ Jagnnath Rathyatra નું આયોજન થવા જઈ રહ્યું છે. આ વખતે 20 જૂને આ રથયાત્રાનું આયોજન થશે. પરંતુ શું તમે જાણો છો? જગન્નાથ રથયાત્રાની શરૂઆત કયારે થઈ? અને શા માટે નગરચર્યામાં નીકળે છે જગતનો નાથ. તો ચાલો જાણીએ આ રથયાત્રાના કેટલાક તથ્યો વિશે નીચે મુજબ.
Jagnnath Rathyatra વિશે
ઓડિશાની Jagnnath Rathyatra વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ યાત્રાની ઝાંખી માટે પુરી ધામ ખાતે દેશભરમાંથી લાખો ભક્તોના ઘાડોપુર ઉમટે છે. દર વર્ષે અષાઢ મહિનામાં ઓડિશાના પુરી જિલ્લામાં જગન્નાથ મંદિરથી ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે. ત્યારે આ વર્ષે રથયાત્રા 20 જૂનથી શરૂ થશે. પરંતુ શું તમે જાણો છો કે આ રથયાત્રા શા માટે કાઢવામાં આવે છે અને તેનું મહત્વ શું છે? તો ચાલો જાણીએ કે શા માટે ભગવાન જગન્નાથી તેની બહેન શુભદ્રા અને મોટા ભાઇ બલરામ નગરચર્યાએ નીકળે છે.
આ પણ વાંચો: 1 કરોડ રૂપિયા પગાર, છતાં પણ લોકો નથી સ્વીકારતા આ જોબ, માત્ર 7 જ કલાક કામ, જુઓ આ કામ વિશે
કેવી રીતે શરૂઆત થઈ આ Jagnnath Rathyatra
ભગવાન જગન્નાથ શ્રી કૃષ્ણના જ અવતાર છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન જગન્નાથની બહેન સુભદ્રાએ દ્વારકા દર્શન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને ત્યારબાદ ભગવાન જગન્નાથે તેમની બહેનને રથમાં બેસાડીને દર્શને લઈ ગયા હતા. ત્યારથી રથયાત્રા શરૂ થઈ હતી. આ રથયાત્રાનો ઉલ્લેખ સ્કંદ પુરાણ, નારદ પુરાણ, પદ્મ પુરાણ અને બ્રહ્મ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે.
અન્ય એક પ્રચલિત કથા
રાજા ઇન્દ્રદ્યુમે જ્યારે જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ બનાવી ત્યારે રાણી ગુંડીચાએ મૂર્તિઓ બનાવતી વખતે શિલ્પકાર વિશ્વકર્મા અને મૂર્તિઓ જોઈ, જેના કારણે મૂર્તિઓ અધૂરી રહી ગઈ. આ પછી, રાજાએ મંદિરમાં આ અધૂરી મૂર્તિઓની સ્થાપના કરી હતી. તે સમયે પણ આકાશવાણી થઇ હતી કે, ભગવાન જગન્નાથ વર્ષમાં એક વાર પોતાના જન્મસ્થળ મથુરામાં જરૂર આવશે. સ્કંદ પુરાણના ઉત્કલ વિભાગ મુજબ, રાજા ઇન્દ્રદ્યુમે અષાઢ શુક્લ દ્વિતીય (બીજ) ના દિવસે ભગવાનને તેમના જન્મસ્થળ પર જવાની વ્યવસ્થા કરી હતી. ત્યારથી આ પરંપરા રથયાત્રાના રૂપમાં ચાલી રહી છે.
આ પણ વાંચો: gsrtc બસ માં સોમનાથ, પાવાગઢ, બનાસ,આવા શબ્દો કેમ લખેલા હોય છે?
રથ ખેંચનારને મળે છે 100 યજ્ઞ જેટલું પુણ્ય
આ રથયાત્રા બાબતે એવું માનવામાં આવે છે કે, રથયાત્રામાં ભાગ લેનાર અને રથ ખેંચનારને લોકોને સો યજ્ઞ કરવા જેટલું જ પુણ્ય મળે છે. ભગવાન જગન્નાથના રથની સાથે તેમની બહેન સુભદ્રા અને મોટાભાઈ બલરામના રથનો પણ રથયાત્રામાં સમાવેશ થાય છે. તેમના રથ અક્ષય તૃતીયાથી જ બનવા લાગે છે. અનેક કારીગરો રાતદિવસ મહેનત કરીને આ રથ તૈયાર કરે છે.
આ ત્રણેય રથ તૈયાર થઈ જાય ત્યારે આ ત્રણેય રથની વિધિવત પૂજા કરવામાં આવે છે. એટલું જ નહીં, જે રસ્તેથી આ રથ નીકળવાના હોય તેને પણ ‘સોનાની સાવરણી’થી સાફ કરવામાં આવે છે. જેને પહિંદ વિધિ કહેવામા આવે છે. યાત્રા દરમિયાન આગળ બલરામજી, મધ્યમાં સુભદ્રા અને છેલ્લે ભગવાન જગન્નાથનો રથ હોય છે.
રથયાત્રા વિશે માન્યતા
રથયાત્રા વિશે એવી માન્યતા છે કે જે ભગવાનનો રથ ખેંચે છે તેમને ફરીથી જન્મ લેવો પડતો નથી. એટલે કે તેમને આ જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મળી જાય છે. રથયાત્રા એટલે એવો તહેવાર જ્યાં ભગવાન પોતે લોકોને દર્શન આપવા માટે તેમની પાસે જાય છે. અને એમાં પણ જો ભગવાનના રથને દોરવાનું સૌભાગ્ય મળે તો જીવન ધન્ય થઈ જાય છે. એટલે દર વર્ષે લાખો લોકો રથયાત્રામાં ભાગ લેવા આવે છે અને ભગવાનનો રથ ખેંચવાનો લ્હાવો લેવાનો પ્રયાસ કરે છે.
અમદાવાદમાં છે આ પ્રથા
આ વર્ષે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા 146 મી નીકળવાની છે ત્યારે અમદાવાદમાં નિકળતી ભગવાન જગન્નાથની રથયાત્રામાં અલગ જ પ્રથા છે. અમદાવાદમાં માત્ર ખલાસીઓને જ ભગવાનનો રથ ખેંચવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. અહીં સામાન્ય લોકો રથ નથી ખેંચતા. પરંતુ ખલાસીઓ જ રથને ખેંચી શકે છે. દર વર્ષે આ સૌભાગ્ય મળતા ખલાસીઓ પોતાની જાતને ધન્ય માને છે.
અગત્યની લીંક
whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
