ખેડૂત સહાય: નુકશાની સહાય પેકેજ: રાજયમા છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વિસ્તારોમા કમોસમી વરસાદ માવઠુ થઇ રહ્યુ છે. જેના લીધે ખેડૂતોનો ઘઉ, જીરુ જેવો તૈયાર થયેલા પાકને નુકશાની થઇ હતી,કમોસમી વરસાદ થી થયેલ નુકશાની વળતર માટે રાજય સરકાર દ્વારા સર્વે કરાવવામા આવ્યો હતો. હવે આજે ખેડૂતોને થયેલ નુકશાની માટે સહાય પેકેજ જાહેર કરવામા આવ્યુ છે. ચાલો જાણીએ આ નુકશાની સહાય નો લાભ કોને મળશે ? કેટલી સહાય મળશે ? ક્યા અરજી કરવાની ?
ખેડૂત સહાય
ખેડૂત સહાય માટે ગુજરાતના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. માર્ચ મહિના દરમિયાન થયેલા કમોસમી વરસાદ માવઠાના કારણે રાજ્યના અનેક ખેડૂતોના તૈયાર થયેલા પાકમાં નુકશાન થયુ હતું. રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી ધ્યાને લઇ તાત્કાલિક ધોરણે જિલ્લાવાર સર્વેની કામગીરી પૂર્ણ કરાવી હતી અને ખેડૂતો માટે અત્યાર સુધીની સૌથી વધુ સહાય આપતું વિશેષ રાહત પેકેજ જાહેર કરવાનો અગત્યનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો: ikhedut પોર્ટલ પર સબસીડી યોજનાઓ ઓનલાઇન અરજી શરૂ
ખેડૂત સહાય પેકેજ અંગે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક મળી હતી. કેબિનેટ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રીએ કહ્યુ હતું કે, રાજ્યના રાજકોટ, જૂનાગઢ, બનાસકાંઠા, અરવલ્લી, તાપી, પાટણ, સાબરકાંઠા, સુરત, કચ્છ, અમરેલી, જામનગર, ભાવનગર અને અમદાવાદ એમ ૧૩ જિલ્લાના ૪૮ તાલુકામાં પાક મા નુકશાની થયા અંગેનો અહેવાલ મળ્યો હતો. જેમાં વહીવટી તંત્રએ કરેલા સર્વે તેમજ ખેડૂતો, ખેડૂત સંગઠનો અને જન પ્રતિનીધીઓ તરફથી ઘણી રજૂઆતો કરવામા આવી હતી. આ રજૂઆતોના આધારે રાજ્ય સરકારે ખેડૂતોને મદદરૂપ થવા માટે SDRF ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં રાજ્ય બજેટમાંથી ટોપ-અપ સહાય દરોમા અત્યાર સુધીનો સર્વોચ્ચ વધારો કરી વિશેષ રાહત પેકેજ જાહેર કર્યુ છે.
કયા પાક માટે કેટલી સહાય મળશે ?
આ નુકશાની સહાય પેકેજમા નીચે મુજબ સહાય મળવાપાત્ર છે.
- ઘઉં, ચણા, રાઈ, કેળ, પપૈયાં વગેરે જેવા ખેતી અને વર્ષાયું બાગાયતી પાકો માટે SDRF ના ધારાધોરણો મુજબ પ્રતિ હેક્ટર રૂ.૧૩,૫૦૦ની સહાય મળશે ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી અત્યાર સુધીની સૌથી વધુ એવી વધારાની રૂ.૯,૫૦૦ પ્રતિ હેક્ટર સહાય પણ આપવામા આવશે આમ કુલ રૂ.૨૩,૦૦૦ પ્રતિ હેકટર લેખે સહાય મળૅશે. ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવા મા આવશે.
- જ્યારે આંબા, લીંબુ, જામફળ જેવા બહુવર્ષાયુ બાગાયતી પાકોમાં ૩૩ ટકા કે તેથી વધુ નુકશાન થયેલ હોય તો SDRFના નોર્મસ મુજબ પ્રતિ હેક્ટર મળવા પાત્ર રૂ.૧૮,૦૦૦ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી રૂ.૧૨,૬૦૦ પ્રતિ હેકટર વધારાની સહાય ઉમેરી કુલ રૂ.૩૦,૬૦૦ પ્રતિ હેકટર લેખે સહાય મળવાપાત્ર છે. ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાય આપવામા આવશે.
- જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે કુલ સહાયની ચૂકવવાપાત્ર રકમ રૂ.૪૦૦૦ કરતાં ઓછી હશે, તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછી રૂ.૪૦૦૦ની સહાય ચૂકવવામાં આવશે. જેમાં તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવામાં આવશે.
આ પણ વાંચો: ટ્રેકટર ખરીદવા માટે સબસીડી યોજના ઓનલાઇન અરજી શરૂ
ખેડૂત સહાય ઓનલાઇન અરજી
આ નુકશાની સહાય માટે ઓનલાઇન અરજી કરવા માટે નીચેના સ્ટેપ ફોલો કરો.
આ પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નં.૮-અ, તલાટીનો વાવેતરનો દાખલો/ગામ નમૂના નં. ૭-૧૨ સહિતના જરૂરી સાધનિક પુરાવા સાથે તાલુકા વિકાસ અધિકારીશ્રીને સંબોધાયેલ નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે, તેમ તેમણે ઉમેર્યુ હતું. આ માટે તમારા ગામના ગ્રામપંચાયતમા VCE નો સંપર્ક કરી શકો.
ખેડૂત સહાય માટે Digital Gujarat પર ઓનલાઇન ફોર્મ ભરવાના હોય છે. નુકશાની સહય પેકેજ માટે ડીટેઇ ઠરાવ બહાર પડી ગયેલ છે. જેમા કઇ રીતે અરજી કરવી ? કોને સહાય મળશે ? કેટલી સહાય મળશે ? જેવી માહિતી ડીટેઇલ મા મળશે.
કયા જિલ્લા અને તાલુકાઓને લાભ મળશે ?
આ નુકશાની સહાય પેકેજ માટે 13 જિલ્લાઓના 48 તાલુકાઓને લાભ મળવાપાત્ર છે. જે નીચે મુજબ છે.
- રાજકોટ
- જુનાગઢ
- બનાસકાંઠા
- અરવલ્લી
- તાપી
- પાટણ
- સાબરકાંઠા
- સુરત
- કચ્છ
- અમરેલી
- જામનગર
- ભાવનગર
- અમદાવાદ

અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |

ખેડૂત નુકશાની સહાય પેકેજ માટે કેટલા જિલ્લાને લાભ મળશે ?
13 જિલ્લા
ખેડૂત નુકશાની સહાય માટે ઓનલાઇન ફોર્મ કઇ વેબસાઇટ પર ભરવાના હોય છે ?
Digital Gujarat
Manjibhai
Manjibhai Sutariya