Matdar Yadi sudharana: મતદાર યાદિ સુધારણા કાર્યક્રમ 2023: આપણી પાસે આધાર કાર્ડ,પાન કાર્ડ જેવા ઘણા અગત્યના સરકારી ડોકયુમેન્ટ હોય છે. ચુંટણી કાર્ડ પણ આવુ જ એક અગત્યનુ ડોકયુમેન્ટ છે. ચુંટણી કાર્ડ એટલે કે મતદારયાદિ ને લગતા વિવિધ કામ માટે ચુંટણી પંચ દ્વારા વર્ષમા 1-2 વખત સુધારણા કાર્યક્રમ જાહેર થતો હોય છે. જે આ વખતે તા. 5 એપ્રીલ 2023 થી તા.20 એપ્રીલ 2023 સુધી યોજાશે. ચાલો જોઇએ મતદાર યાદિ સુધારણા સુધારણા કાર્યક્રમની સંપૂર્ણ વિગતો.
Matdar Yadi sudharana 2023
યોજના | મતદાર યાદિ સુધારણા કાર્યક્રમ 2023 |
અગત્યની તારીખ | 5-4-2023 થી 20-4-2023 |
કામગીરી | મતદારયાદિમા નવા નામ દાખલ કરવા અને સુધારાઓ |
ખાસ ઝૂંબેશની તારીખો | 16-4-2023 23-4-2023 |
સંપર્ક અધિકારી | તમારા વિસ્તારના BLO |
ઓફીસીયલ વેબસાઇટ | https://www.nvsp.in/ https://sec.gujarat.gov.in/ |
આ પણ વાંચો: RTE Admission Form: ખાનગી શાળામા ધોરણ 1 મા Free એડમીશન માટે RTE ના ફોર્મ ભરવાનુ શરુ,જાણો આખી પ્રોસેસ
મતદાર યાદિ સુધારણા કાર્યક્રમ 2023
ગુજરાત ના ચુંટણી કમીશન દ્વારા મતદારયાદિ સંક્ષિપ્ત સૂધારણા કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે. જેમા તા. 5-4-2023 થી 20-4-2023 સુધી મતદારયાદિને લગતા વીવીધ કામગીરી કરી શકાશે. જે નીચે મુજબ છે.
- મતદારયાદિમા નવુ નામ દાખલ કરવુ
- મતદારયાદિ માથી નામ કમી કરાવવુ
- નામમા સુધારો કરવો
- સરનામુ બદલવુ
મતદાર યાદિ સુધારણા ફોર્મ
મતદાર યાદિ સુધારણા કાર્યક્રમ 2023 માટે અલગ અલગ કામ માટે અલગ અલગ ફોર્મ ભરવાના હોય છે જે નીચે મુજબ છે.
- નવુ નામ દાખલ કરવુ: મતદાર યાદિમા જો તમે નવુ નામ દાખલ કરવામાગતા હોય તો તેના માટે ફોર્મ નં. 6 ભરવાનુ હોય છે. જે તા.1-4-2023 ના રોજ 18 વર્ષ પુરા થતા હોય તે આ ફોર્મ ભરી શકે છે.
- નામ કમી કરાવવુ: કોઇ કારણસર જો મતદારયાદિ માથી નામ કમી કરાવવાનુ હોય તો તેના માટે ફોર્મ નં. 7 ભરવાનુ હોય છે.
- નામમા સુધારો: જો મતદારયાદિમા તમારા નામ અટક વગેરેમા કોઇ સુધારો હોય તો તેના માટે ફોર્મ નં. 8 ભરવાનુ હોય છે.
- સરનામુ બદલવુ: મતદારયાદિમા સરનામુ બદલવા માટે ફોર્મ નં. 8-ક ભરવાનુ હોય છે.
આ પણ વાંચો: Portable AC: માત્ર 500 રૂ. મા મળશે AC જેવી ઠંડક, લાઇટબીલ પણ સાવ ઓછુ
ઉપરોક્ત તમામ ફોર્મ તમારા વિસ્તારના BLO નો આ કામગીરીના દિવસો દરમિયાન સંપર્ક કરવાથી મળી રહેશે.
જેમાં આગામી તા.5 એપ્રિલથી 15 દીવસ મતદારો હકક દાવા અને વાંધા અરજીઓ તેમના વિસ્તારના બી.એલ.ઓ. સમક્ષ રજુ કરી શકશે. ઉપરાંત આ કાર્યક્રમમા આ વખતે તા. 16-4-2023 અને 23-4-2023 2 દિવસ ખાસ ઝૂંબેશના દિવસો નક્કિ કરવામા આવ્યા છે. જેમા જે તે ચુંટણી બુથ પર બી.એલ.ઓ. આખો દિવસ બેસશે. તા.28 સુધીમાં હકક દાવા વાંધા અરજીનો નિકાલ કરશે. તા.1 એપ્રિલ 2023ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરાયેલ છે. મતદાર યાદીની આખરી પ્રસિદ્ધ તા.10મી મે ના રોજ કરાશે.
મતદાર યાદિ સુધારણા NVSP
મતદારયાદિ સુધારણા ને લગતા કામ માટે ઓનલાઇન સુવિધા પણ ઉપલબ્ધ કરવામા આવી છે.
આ ઉપરાંત Voter Helpline મોબાઈલ એપ, ચૂંટણી પંચના National Voter’s Service Portal https://www.nvsp.in (NVSP Portal) ના માધ્યમથી પણ ફોર્મ નં.06 ભરી નવા મતદાર તરીકે નોંધણી કરાવવા માગતા હોય તો અરજી કરી શકાય છે.. સાથે જ મતદાર યાદીમાં પોતાનું અને પોતાના પરિવારના સભ્યોનું નામ છે કે કેમ તેની ચકાસણી કરી શકો છો. અને જો કોઇ સુધારો હોય તો ઓનલાઇન ફોર્મ ભરી સુધારા કરી શકાય છે.
મતદાર યાદિ સુધારણા કાર્યક્રમ 2023 ખાસ ઝૂંબેશના દિવસો
મતદારયાદિ સુધારણા કાર્યકર્મ અંતર્ગત આ તારીખોમા ખાસ ઝૂંબેશના દિવસો નક્કી કરવામા આવતા હોય છે. આ દિવસોમા જે તે વિસ્તારના BLO આખો દિવસ ચુંટણી બુથ પર બેસે છે. અને મતદારયાદિ સુધારણાના ફોર્મ સ્વિકારે છે. આ માટે સાથે જોડવાના ડોકયુમેન્ટ વગેરેની ડીટેઇલ માહિતી BLO પાસેથી મળી રહે છે. આ વખતે ખાસ ઝૂંબેશના દિવસો નીચે મુજબ નક્કી કરવામા આવ્યા છે.
- 16-4-2023, રવિવાર
- 23-4-2023, રવિવાર
અગત્યની લીંક
NVSP પોર્ટલ | અહીં ક્લિક કરો |
Eci Gujarat વેબસાઇટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
💥 Whatsapp Group માં જોડાવા 💥 | અહીં ક્લિક કરો |

મતદાર યાદિ સુધારણા ઓનલાઇન માટે કઇ વેબસાઇટ છે ?
NVSP પોર્ટલ
મતદાર યાદિ સુધારણા 2023 માટે ખાસ ઝૂંબેશના દિવસો કયા છે ?
16-4-2023, રવિવાર
23-4-2023, રવિવાર
2 thoughts on “Matdar Yadi sudharana: મતદાર યાદિ સુધારણા કાર્યક્રમ 2023, ચૂંટણી કાર્ડને લગતા કામ માટે આ તારીખો નોંધી લો”