સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના

સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના.

ફરજીયાત ઘટક (૧)
૧૨ દુધાળા પશુઓની ખરીદી માટે મેળવેલ બેંક ધિરાણ પર ૫ (પાંચ) વર્ષ સુધી
સામાન્ય કેટેગરીના લાભાર્થીઓને ૭.૫ % વ્યાજ સહાય, તથા મહિલા, અનુ.જાતિ અને
અનુ.જનજાતિ લાભાર્થીઓને ૮.૫% વ્યાજ સહાય, ગીર / કાંકરેજ માટે મહત્તમ ૧૨ %
વ્યાજ સહાય
 
(૨)
કેટલશેડના બાંધકામ પર ૫૦ % મહત્તમ રૂ!.૧.૫૦ લાખ સહાય, ગીર / કાંકરેજ માટે
૭૫% મહત્તમ રૂ!. ૨.૨૫ લાખ સહાય.
 
(૩)
પશુઓના સળંગ ત્રણ વર્ષના વિમાના પ્રિમિયમ પર ૭૫ % મહત્તમ રૂ!.
રૂ!.૪૩,૨૦૦/- ની સહાય, ગીર / કાંકરેજ પર ૯૦ % મહત્તમ રૂ!. ૫૧,૮૪૦/- સહાય
વૈકલ્પિક/મરજીયાત ઘટક
 
(૪)
ઇલેક્ટ્રિક ચાફકટર, ફોગર સીસ્ટમ અને મિલ્કીંગ મશીન પર યુનિટ કોસ્ટના ૭૫%
લેખે અનુક્રમે મહત્તમ રૂ. ૧૮,૦૦૦/-, રૂ!. ૯,૦૦૦/-, અને રૂ!. ૩૩,૭૫૦/- સહાય;
ગીર / કાંકરેજ માટે યુનિટ કોસ્ટના ૯૦% લેખે અનુક્રમે મહત્તમ રૂ!. ૨૧,૬૦૦/-,
રૂ!. ૧૦,૮૦૦/- અને રૂ! ૪૦,૫૦૦/- સહાય.

રિઝર્વ બેન્ક માન્ય નાણાંકિય સંસ્થા / બેન્ક માંથી વર્ષ ૨૦૨૧-૨૨ માં મેળવેલ
ધિરાણ પર જ વ્યાજ સહાય મળવાપાત્ર થશે. આ યોજનાનો લાભ મેળવવા પશુપાલકે /સ્વસહાય
જૂથે રિઝર્વ બેન્ક માન્ય નાણાંકિય સંસ્થા / બેન્ક માંથી ધિરાણ અંગેની મંજુરી
મેળવ્યા બાદજ I khedut (આઇ ખેડૂત) પોર્ટલ પર અરજી કરવાની રહેશે.


રાજ્યનો વર્ષ ૨૧-૨૨ નો સંભવિત લક્ષ્યાંક:
1500

ઘટક્ના પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા –
આજીવન એક વખત.

વારંવાર પૂછાતા પ્રશ્નો :- FAQ

Q. અરજી ક્યાં કરી શકાય?
અરજી તમે તમારી જાતે i khedut ની વેબસાઈટ પર કરી શકો છો અથવા તમારી નજીક ના
ઓનલાઇન સેન્ટર પર જઇ પણ કરાવી શકો છો.

જરૂરી આધાર પુરાવા શું શું જોઈએ?

(૧) આધાર કાર્ડ ની નકલ
(૨) બેંક પાસબુક ની નકલ અથવા રદ કરેલ ચેક
(૩) રેશન કાર્ડ ની નકલ
(૪) લોન લીધેલ બેંક માંથી આપેલ કાગળ.

વધું માહિતી માટે અહીં ટેપ કરો.

Leave a Comment

error: Content is protected !!